Friday, October 14, 2022

ધૈર્યાને શ્રદ્ધાંજલી: ભરબજારે માણસની જાત પીસાઈ ગઇ.......


આંખોની કાજલ અંધકારમાં ખોવાઇ ગઇ.

ઘરની રોશન અજવાસમાં બુઝાઈ ગઇ.

હજુ ગઈકાલ સુધી તો ઝળાહળ હતુ બધુ,

પ્રગટ થયેલી જિંદગી રાખમાં સમાઈ ગઇ.

મા-બાપે હોમેલું જીવનભરનું જવતલ,

આહુતિ અગનજ્વાળામા સમેટાઇ ગઇ.

પાપીઓનાં પાપ કેમ પોકારતા નથી?

સભ્યતાની જમાત સ્વાર્થમાં દટાઇ ગઇ.

નારીની ગરિમા ડૂસકા લઇ રહી છે ,

ન્યાયની ચીખ વિખવાદોમાં દબાઇ ગઇ.

આ ઘટના હતી કે ઘાત હે! દુનિયા બોલ,

ભરબજારે માણસની જાત પીસાઈ ગઇ.

લેખન: નીતિન રાવલ (નીમુ'રા)

No comments:

Post a Comment